Disha Vakani : દયાબેનનું પાત્ર નિભાવતા દિશા વાંકાણી પછી આ ત્રણમાંથી કોઈ એક અભિનેત્રી ભજવી શકે છે આ પાત્ર!

disha vakani

Disha Vakani : “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા“ના દયાબેનનું પાત્ર ખૂબજ લોકપ્રિય બની ગયું છે. ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, હવે દયાબેન આ શોમાં પાછા નહીં ફરે ત્યારે તેનાં ફેન્સને ખુબજ  આઘાત લાગ્યો છે,કારણ કે ઘર-ઘરમાં દયાબેનના પાત્રથી લોકપ્રિય થયેલા “દિશા વકાણી“ disha vakani હવે આ શોમાં પાછાં નહીં ફરે, ત્યારે  હવે એ જોવાનું એ રહ્યું કે,આ પાત્ર માટે કઈ નવી એકટ્રેસની પસંદગી કરવામાં આવે છે, જે દયાબેનનું પાત્ર સારી રીતે ભજવી શકે.

ટીવી સિરિયલનો સૌથી પ્રખ્યાત શો “તારક મહેતા…”’માં દિશા વાકાણી બદલાઈ જશે, તે અંગેની અટકળો ઘણાં લાંબાસમયથી ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન એવા પણ સમાચાર આવ્યા હતા કે, આ શોના નિર્માતાઓએ નવા દયાબેનની શોધખોળ શરૂ કરી દીધી છે. આ પાત્ર માટે અમે તમને કેટલીક એવી ટીવી એક્ટ્રેસની જાણકારી આપીશું કે જે સરળતાથી દયાબેનનું પાત્ર ભજવી શકે છે.

શિલ્પા શિંદે:

આ પાત્રને શિલ્પા શિંદે યોગ્ય રીતે ભજવી શકે છે. શિલ્પા શિંદે ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે, તેણે ‘ભાભીજી ઘર પર હે’ નામના શોમાં અંગૂરી ભાભીનું જે પાત્ર ભજવ્યું હતું તે હિટ રહ્યું હતું. તો હવે જો દયાબેનનાં પાત્ર માટે કોઇની પસંદગી કરવામાં આવે તો તેમાં શિલ્પા શિંદેનું ના મોખરે રહે, એવું કહી શકાય કારણકે તે સરળતાથી દયાબેનનું પાત્ર ભજવી શકે છે.

સુમોના ચક્રવર્તી:

દયાબેન માટે સુમોના ચક્રવર્તી પણ સિલેક્ટ કરી શકે છે, કારણકે સુમોના ચક્રવર્તી‘ધ કપિલ શર્મા શો’માં ભૂરીનું પાત્ર દ્વારા ઘણી લોકપ્રિય બની છે, ત્યારે તે દયાબેનનું પાત્ર ભજવી શકે છે.

સુગંધા મિશ્રા:

સુગંધાપણ આ પાત્ર માટે ફિટ છે, કારણકે જે રીતે તે તેનાં બીજા પાત્રોને ભજવીને લોકોનું મનોરંજન કરી રહી છે,તેથી તેઘણી લોકપ્રિય થઈ છે. હાલ તે ટીવી પર ‘કપિલ શર્મા શો’માં ટીચરનું હિટ પાત્ર ભજવી ચૂકી છે અને તે સરળતાથી દયાબેનનું પાત્ર ભજવી શકે છે.

Also Read : Corona Update : તા.18મી મે, 11:30AM સુધીની કોરોનાના પોઝીટીવ કેસ અને રિકવર દર્દીઓની માહિતી