ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માં પ્રાયોગિક પરીક્ષા હવે બોર્ડ દ્વારા લેવામાં આવશે.

વિજ્ઞાનપ્રવાહ

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માં સેમેસ્ટર સિસ્ટમ રદ્દ થયા બાદ હવે જે પ્રાયોગિક પરીક્ષા જે-તે સ્કૂલ દ્વારા લેવાતી હતી એ પણ હવે બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે.

વિજ્ઞાનપ્રવાહ
-> પરીક્ષા ક્યા અને ક્યારે લેવાશે?
-> ચાલુ વર્ષથી જ રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે જેમાં આખા વર્ષ દરમિયાન કરેલા પ્રાયોગિક કાર્યની જર્નલ પરીક્ષા કેન્દ્ર પર રજૂ કરવાની રહેશે. પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી તારીખ, સમય અને જે-તે બેંચમાં લેવામાં આવશે. જેમાં ગેરહાજર રહેનારા વિધ્યાર્થીઓની પરીક્ષા કોઈપણ સંજોગોમાં લેવામાં આવશે નહીં.

Also Read : જૂનાગઢવાસીઓને પ્રિય મહાદેવ અને ગરવા ગિરનાર વચ્ચેની કેટલીક સામ્યતાઓ…