Junagadh News : આતુરતાનો અંત; જૂનાગઢ-ઇવનગર-મેંદરડા બાયપાસ રોડના રૂ.14.14 કરોડના ખર્ચે થનાર નવીનીકરણની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો.

Junagadh News
Junagadh News : આતુરતાનો અંત; જૂનાગઢ-ઇવનગર-મેંદરડા બાયપાસ રોડના રૂ.14.14 કરોડના ખર્ચે થનાર નવીનીકરણની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો.
  • જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાની સ્થાનિક જનતા જે સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગઈ હતી, એ સમસ્યાનો અંત હવે નજીકમાં છે!
  • મેંદરડા-ઇવનગર-જૂનાગઢ બાયપાસ રોડના નવીનીકરણની કામગીરીને લીલી ઝંડી આપવામાં આવી છે અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા આ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
  • મળતી માહિતી મુજબ; કુલ 18 કિલોમીટરના રોડના નવીનીકરણ માટે રૂ.14 કરોડ 14 લાખ ફાળવવામાં આવ્યા છે.
  • જેના થકી ઉચ્ચ ગુણવત્તાવાળો રોડ બનશે એવી બાંહેધરી આપવામાં આવી છે.
  • આ બાયપાસ રસ્તાની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ થતાં જૂનાગઢ થી સાસણ, દીવ, સોમનાથ તરફ જતાં પ્રવાસીઓને રાહત થશે સાથોસાથ કાયમી આ રસ્તાનો ઉપયોગ કરતાં સ્થાનિક લોકોને કાયમીનું સમાધાન મળશે!