Junagadh News : ગુજરાત રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે.

Junagadh News : ગુજરાત રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે.
  • ગુજરાત રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ નૈસર્ગીક દર્શન દ્વારા વન્ય પશુ-પક્ષીઓ, વૃક્ષો, પહાડો, ખડકો, ઝરણા, કોતરો વગેરેનો પ્રત્યક્ષ પરિચય કેળવે તથા તેઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ ભાવ વિકસે તે હેતુ રાજ્ય સરકાર દ્વારા 10 દિવસના વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
  • જે અન્વયે ગુજરાત રાજયના યુવક-યુવતીઓ કે જેઓ તા.31 ડિસેમ્બર, 2023 ના રોજ 15 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા ભાગ લેવા ઇચ્છતા ઉમદવારોએ નિયત ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે આગામી તા.12 ફેબ્રુઆરી નીચેના સરનામે જમા કરાવવાનું રહેશે.
  • આ કાર્યક્રમનો ભાગ બનવા માટેનું ફોર્મ ‘Dydo Junagadh’ ફેસબૂક આઈ.ડી પરથી મેળવી શકાશે.
ફેસબુક પેજની લિન્ક: https://www.facebook.com/profile.php?id=61552037120601
સરનામું: જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં.1/1, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ-362001