Junagadh News : જૂનાગઢ જિલ્લામાં કુલ 93 વિદ્યાર્થીઓ CA ની પરીક્ષામાં સફળ થયાં; જેમાંથી 52 વિદ્યાર્થીઓ નોબલ યુનિવર્સિટીના જ છે

“જૂનાગઢ જિલ્લામાં કુલ 93 વિદ્યાર્થીઓ CA ની પરીક્ષામાં સફળ થયાં; જેમાંથી 52 વિદ્યાર્થીઓ નોબલ યુનિવર્સિટીના જ છે!”
– ધોરણ-12 કોમર્સ પછી CA (ચાર્ટડ એકાઉન્ટન્ટ) કે જેની એન્ટ્રેનસ પરીક્ષા સીએ ફાઉન્ડેશન, ધ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર 2023માં લેવામાં આવેલ હતી.
– જે પરીક્ષાનું પરીણામ ગત તારીખ 7 ફેબ્રુઆરીના રોજ જાહેર થયુ હતું.
– દેશભરમાં કુલ 1,37,153 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 41,132 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે 29.99% પરિણામ આવ્યું છે, જેમાં જૂનાગઢનું પરિણામ 46.50% આવ્યું છે.
– જાહેર થયેલા પરિણામમાં જૂનાગઢ જિલ્લાના એકસાથે 93 છાત્રો સફળ થયા છે.
– જેમાંથી કુલ 52 વિદ્યાર્થીઓ નોબલ યુનિવર્સિટીના જ છે, જે સમગ્ર નોબલ યુનિ.પરિવાર તેમજ જૂનાગઢ શહેર માટે ગૌરવ વધારનારી બાબત છે.