Junagadh News : ગિરનાર અભ્યારણ અને ગીર નેશનલ પાર્કના સફારી રુટ 16 જૂન થી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે.

Junagadh News
Junagadh News : ગિરનાર અભ્યારણ અને ગીર નેશનલ પાર્કના સફારી રુટ 16 જૂન થી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે.
– હાલમાં શાળાઓમાં વેકેશન પૂર્ણ થવાના આરે છે, ત્યારે બીજી બાજુ સાસણ અને જૂનાગઢમાં જંગલમાં વસતા સિંહોનું આગામી તા.16 જૂનથી વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે.
– આ વેકેશન તા.15 ઓક્ટોબર સુધી ચાલશે; કેમકે આ ચાર મહિનાનો સમયગાળો સિંહના સંવનનકાળનો કહેવામાં આવે છે.
– ચોમાસાના સમયગાળામાં સિંહ સહિત જંગલમાં વસતા પ્રાણીઓના સંવનનકાળમાં કોઈ ખલેલ ન પહોંચે એટલા માટે ચોમાસાના ચાર મહિના સફારી રુટ બંધ રાખવામાં આવે છે.
– જેથી આગામી તા.16 જૂન થી 15 ઓક્ટોબર સુધી ગિરનાર અભ્યારણ અને ગીર નેશનલ પાર્કના સફારી રુટ પ્રવાસીઓ માટે બંધ રહેશે.
– જ્યારે દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે, તેવું જાણવા મળી રહ્યું છે.