એકજ રાતમાં 10 નવા પોઝીટીવ કેસ સાથે ગુજરાતમાં કોરોના ના દર્દીઓનો આંકડો 100ને પાર થયો…

કોરોના

કોરોનાનો કહેર વિશ્વભરની સાથે સાથે ભારત અને ગુજરાતમાં પણ અસિમિત રીતે વધી રહ્યો છે. ગઈકાલે રાતે એક જ દિવસમાં 10 નવા કેસનો વધારો થયો હતો, જેમાં અમદાવાદમાં જ કુલ 5 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. સાથોસાથ પાટણમાં પણ મુંબઇ પ્રવાસ કરીને આવેલા 2 લોકો કોરોના અસરગ્રસ્ત જણાયા છે. આ આંકડાઓ સાથે એક નજર ભારતના કોરોના વાઇરસના આંકડા પર નજર કરીએ.કોરોનાસર્વ પ્રથમ તો આજરોજ તા.4થી એપ્રિલના રોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા નિચે મુજબ છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.

  • તારીખ: 4થી એપ્રિલ 2020
  • સમય: સવારે 10:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2812
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 229
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 86

ભારત બાદ એક નજર ગુજરાતમાં જોવા મળેલ કેસ પર નાખીએ. ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા છે. જેમાંના કેટલાક દર્દીઓ રિકવર પણ થઈ ચૂક્યા છે. ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે જોઈએ આજરોજ સાંજે 10 વાગ્યા સુધીમાં આવેલા ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડા વિશે જાણીએ.

  • તારીખ: 4થી એપ્રિલ 2020
  • સમય: સવારે 10:45 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 105
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 11
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 9

આ આંકડાઓ બાદ એક સારા સમાચાર એ પણ છે કે ગાંધીનગરમાંના 2 દર્દીઓને રિકવર કરીને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. તેમજ રાજ્યભરમાંથી એકપણ દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ નથી.

કોરોના

ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ તો, જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ હજી જોવા નથી મળ્યો. જેનો સમગ્ર શ્રેય જૂનાગઢ જિલ્લા તંત્ર અને પ્રસાસનને ફાળે જાય છે. આપણે પણ તંત્ર અને પ્રસાસનને સહકાર આપીને જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તેના માટે સહયોગી બનીએ.

Also Read : જળ એજ જીવન છે