Junagadh News : મહારાષ્ટ્રના પર્યાવરણપ્રેમીઓએ ગિરનાર-ભવનાથની સફાઇ કરીને 275 બોરી જેટલું પ્લાસ્ટિક એકત્ર કર્યું.

Junagadh News
Junagadh News : મહારાષ્ટ્રના પર્યાવરણપ્રેમીઓએ ગિરનાર-ભવનાથની સફાઇ કરીને 275 બોરી જેટલું પ્લાસ્ટિક એકત્ર કર્યું.
– શ્રી સંત જનાર્દનસ્વામી સંસ્કારિત વિશ્વ શાંતિ ધામ સંસ્થાન દ્વારા મહાશ્રમ દાન સમારોહ થકી સમગ્ર દેશના અલગ-અલગ રાજ્યમાં આવેળ ધાર્મિક સ્થાનો નજીક શ્રમદાન કરીને કચરો એકત્ર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
– જે અંતર્ગત ગિરનાર દત્તાત્રેય શિખરથી લઈને અંબાજી મંદિર સુધી 150 જેટલા સ્વયં સેવકો દ્વારા 150 બોરી જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. જે બાદ ભવનાથ વિસ્તારની સફાઇ કરીને 125 બોરી જેટલું પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું.
– આ સંસ્થા દ્વારા એકસાથે 500 જેટલા ધાર્મિક સ્થળો પર સફાઇ અભિયાન થકી શ્રમદાન કરવામાં આવ્યું હતું.
– જેમાં ગુજરાતનઆ દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ સહિતના વિવિધ સ્થળો પર ટીમ બનાવી સફાઇ અભિયાન કરવામાં આવ્યું હતું.