કોરોના : રાજકોટમાં સતત ચોથા દિવસે 24 લોકોના નેગેટિવ રિપોર્ટ આવતા તંત્રને થયો હાશકારો…

કોરોના

આજે સમગ્ર ભારત સહિત વિશ્વ પણ વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસના સંક્રમણ હેઠળ આવી ગયું છે. જેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે, જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. જે અંતર્ગત અહીં ભારતમાં અને ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસ અને બીજી બધી વિગતના આંકડા પર એક નજર નાખીએસર્વ પ્રથમ તો આજરોજ તા.3જી એપ્રિલના રોજ સાંજે 7:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં કેટલા પોઝીટીવ કેસ છે? કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત પર એક નજર નાખીએ.
તારીખ: 3જી એપ્રિલ 2020
સમય: સાંજે 7:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2308
કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 156
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 56કોરોના

ભારત બાદ એક નજર ગુજરાતમાં જોવા મળેલ કેસ પર નાખીએ. ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા છે. જેમાંના કેટલાક દર્દીઓ રિકવર પણ થઈ ચૂક્યા છે. ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે જોઈએ આજરોજ સાંજે 10 વાગ્યા સુધીમાં આવેલા ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડા વિશે જાણીએ.

  • તારીખ: 3જી એપ્રિલ 2020
  • સમય: સવારે 10:30 વાગ્યા સુધી
  • કવોરંટાઇન માટેના બેડની સંખ્યા: 15,284
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 95 (અમદાવાદમાં 7 નવા પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 10
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 8

આ આંકડાઓ પર નજર નાખતા જણાઈ કે અમદાવાદમાં આજ સવાર સુધીમાં 7 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે જેના કારણે હાલ અમદાવાદમાં 38 પોઝીટીવ કેસ છે. જેથી અમદાવાદ અત્યારે હોટસ્પોટમાં સામેલ થઈ ચૂક્યું છે, તો સાથોસાથ રાજકોટ માટે એક સારા સમાચાર એ છે કે, છેલ્લા 3 દિવસમાં એક પણ પોઝીટીવ કેસ નથી નોંધાયો, તેમજ જે પ્રથમ પોઝીટીવ દર્દીનો કેસ હતો તેને પણ રિકવર કરીને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ હજી જોવા નથી મળ્યો. જેનો સમગ્ર શ્રેય જૂનાગઢ જિલ્લા તંત્ર અને પ્રસાસનને ફાળે જાય છે. આપણે પણ તંત્ર અને પ્રસાસનને સહકાર આપીને જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તેના માટે સહયોગી બનીએ.

Also Read : ચાલો અંગ્રેજીને બનાવીએ સહેલું.