ગુજરાતમાં આજરોજ તા.2જી એપ્રિલ સાંજે 7:30 વાગ્યા સુધી મળેલા કોરોના વાઇરસને લગતા આંકડા

કોરોના

આજે ભારત અને સમગ્ર ભારત પણ વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસના સંક્રમણ હેઠળ આવી ગયું છે. જેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે અહીં ભારતમાં અને ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસ અને બીજી બધી વિગત પર એક નજર નાખીએ.

કોરોના

પ્રથમ તો આજરોજ તા.2જી એપ્રિલના રોજ સવારે 7:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં કેટલા પોઝીટીવ કેસ છે? તેના પર એક નજર નાખીએ.
તારીખ: 2જી એપ્રિલ 2020
સમય: 7:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2100
કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા:
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 60

કોરોના

ભારત બાદ એક નજર ગુજરાતમાં જોવા મળેલ કેસ પર નાખીએ. ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા છે. જેમાંના કેટલાક દર્દીઓ રિકવર પણ થઈ ચૂક્યા છે. ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે જોઈએ આજરોજ સાંજે 10 વાગ્યા સુધીમાં આવેલા ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડા વિશે જાણીએ.

  • તારીખ: 2જી એપ્રિલ 2020
  • સમય: 7:30 વાગ્યા સુધી
  • કવોરંટાઇન કરાયેલા લોકોની સંખ્યા: 19,206 (18, 487- હોમ કવોરંટાઇન, 743-સરકારી ફેસિલિટી અને 253-પ્રાઇવેટ ફેસિલિટી)
  • કવોરંટાઇન માટેના બેડની સંખ્યા: 15,284
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 88 (ભાવનગરમાં નવો કેસ નોંધાયો)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 10
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 7
  • વિદેશ પ્રવાસ કરીને આવેલા દર્દીઓની સંખ્યા: 33
  • આંતરરાજ્ય પ્રવાસ કરીને આવેલા દર્દીઓની સંખ્યા: 8
  • લોકલ ટ્રાન્સફરથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા: 41

સમગ્ર વિશ્વમાં સંક્રમિત થયેલા કોરોના વાઇરસનો એક પણ કેસ હજી જૂનાગઢ જિલ્લામાં જોવા નથી મળ્યો. જેનો સમગ્ર શ્રેય જૂનાગઢ જિલ્લા તંત્ર અને પ્રસાસનને ફલે જાય છે. આપણે પણ તંત્ર અને પ્રસાસનને સહકાર આપીને જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તેના માટે સહયોગી બનીએ.

Also Read : માધવપુરમાં યોજાયો ઐતીહાસિક મેળો