ચલો જાણીએ તા.26મી એપ્રિલ 8:30PM સુધીમાં કોરોના ના કેટલા નવા કેસ નોંધાયા…

કોરોના

ગઈકાલે ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવશ્રીની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે કોરોના ના નવા 230 કેસ સામે આવ્યા છે. સાથે જ ભારતમાં પણ આજે એક દિવસમાં નવા 1,900થી કોરોના સંક્રમિત દર્દીઓનો ઉમેરો થયો છે. અહીં ભારત અને ગુજરાતના કોરોનાના આંકડાઓ આપવામાં આવ્યા છે, જેની નોંધ લઈએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 26મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 26,917 (જેમાં 20,177 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 5,914
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 826

રાજ્યમાં ફરી 24 કલાકમાં કોરોનાના નવા 230 કેસનો ઉમેરો થયો છે તો સાથે જ મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાયો છે. આ સાથે જ અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 26મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 3,301 (નવા 230 કેસ નોંધાયા)
  • એક્ટિવ કેસ: 2,837
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 313 (વધુ 31 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 151 (વધુ 18 લોકોના મૃત્યુ થયા)

આ સાથે જ એક નજર જૂનાગઢ જિલ્લા પર પણ કરીએ કે જ્યાં લોકડાઉનના એક મહિના બાદ પણ કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. મેડિકલ ટિમ દ્વારા આજરોજ તા.26મી એપ્રિલ સુધીમાં 378 જેટલા શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ કર્યા હતા. જેમાંથી 357 લોકોના રિપોર્ટ નેગવટિવ આવ્યા છે. જ્યારે બીજા લોકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં જૂનાગઢમાં એક પણ કોરોના સંક્રમિત દર્દી જોવા નથી મળ્યો જે જૂનાગઢ જિલ્લા માટે રાહતના સમાચાર છે.

કોરોના

Also Read : Junagadh Municipal Corporation  ફૂડ શાખાઅે 900 કિલો વાસી ખોરાકનો નાશ કર્યો.