નવા 23 કેસ સાથે ગુજરાતમાં કોરોના નો આંકડો પહોંચ્યો આટલે… ચાલો જાણીએ આજ સાંજે 8:30 સુધીની સ્થિતિ

કોરોના

આજના દિવસમાં કોરોના ના નવા 23 કેસ સામે આવ્યા છે. છેલ્લા થોડાક કલાકોમાં નોંધાયેલા કેસની સાપેક્ષમાં આજના કેસ કંઈક અંશે રાહતપૂર્ણ ગણી શકાય. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • તારીખ: 12મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 8,447 (જેમાં 7,409 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 764
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 273

કોરોનાગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો હવે 500ની પાર થઈ ગયો છે. અતીવેગથી વધી રહેલા કોરોનાના આંકડાઓ ચિંતાજનક છે. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવામાં કાર્યશીલ છે. તંત્ર હોટસ્પોટ સહિતના વિસ્તારોમાં ટેસ્ટિંગ કરી રહ્યું છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

Photos: Malls, railway stations in Ahmedabad deserted as Gujarat ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

  • તારીખ: 12મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 516 (જેમાં 448 કેસ એક્ટિવ છે.)
  • વિદેશ પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા: 33
  •  આંતર રાજ્ય પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 32
  • લોકલ ટ્રેનજીશનથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 451
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 44
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 24

કોરોનાગુજરાતમાં આજ સવારની પ્રેસ કોન્ફરન્સ બાદ સાંજ સુધીમાં ફરી 23 કેસનો વધારો થયો છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. રાજ્ય સરકારના કડક પગલાંઓ કારણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને સામે રિકવરીની ટકાવારી વધી રહી છે. આમ, તંત્ર દ્વારા કોરોના સામે સખત લડાઈ લડવામાં આવી રહી છે.

ભારત અને ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ. જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જૂનાગઢમાં મેડિકલ સ્ટાફની એક ટિમ બનાવીને ટેસ્ટિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

Also Read : Girnar will become the new identity of Gujarat