હવે ખેતી કરવું બનશે વધુ સરળ.

હવે ખેતી કરવું બનશે વધુ સરળ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધકે બનાવ્યું પાકમાં ખાતરનું પ્રમાણ જાણવા માટે નેનો બાયોસેન્સર. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગના સંશોધક ડો. જૈમિન જાદવે બનાવેલ આ નેનો-બાયોસેન્સર દ્વારા ઉભા પાકમાં પોટેશિયમની ઉણપ છે કે નહીં તે સરળતાથી જાણી શકાય છે. ડો. જૈમિન જાદવે જણાવ્યા મુજબ ખેડૂત પાકના પાંદડા લઇ તેને મશળીને આ મશીન પર મૂકે તો તરત જ તે મશીન બતાવશે કે એ પાકમાં પોટેશિયમની માત્રા કેટલી છે. આ સંશોધન દ્વારા ખેડૂતનો પાક નિષ્ફળ જતો બચી શકશે, ખાતરનો વધુ પડતો ઉપયોગ ઘટાડી શકાશે જેથી ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થશે સાથેજ જમીન તથા હવાને પણ વધુ પ્રદુષિત થતા રોકી શકાશે. આ નેનો-બાયોસેન્સરની શોધ માટે પેટન્ટ ફાઇલ કરી દેવામાં આવી છે. ડો. જૈમિન જાદવને આ શોધ બદલ ગાંધીયન યંગ ટેકનોલોજીકલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.હાલ આ મશીનને વધુ નાનું બનાવવા માટે સંશોધન ચાલે છે.
ખેતી

Also Read : લીલી પરિક્રમા થઈ પૂર્ણ, પરિક્રમાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતાં 50 ટકા ઓછી હોવાનું અનુમાન!