Junagadh News : વાવાઝોડાથી શાકભાજીના પાકને વ્યાપક નુકશાન થતાં; માર્કેટીંગ યાર્ડમાં આદુ પ્રતિમણ રૂ.3000/-, ટમેટા રૂ.1400ના ભાવે વેચાયા!

Junagadh News : વાવાઝોડાથી શાકભાજીના પાકને વ્યાપક નુકશાન થતાં; માર્કેટીંગ યાર્ડમાં આદુ પ્રતિમણ રૂ.3000/-, ટમેટા રૂ.1400ના ભાવે વેચાયા!
  • તાજેતરમાં આવેલ વાવાઝોડાની સીધી અસર શાકભાજીના પાક પર થવાથી શાકભાજીની આવકમાં નોંધનીય ઘટાડો નોંધાયો છે.
  • જેના કારણે જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના ભાવ આસમાને ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
  • જે અંતર્ગત આદુના પ્રતિમણ રૂ.2800 થી 3000, ટમેટાના રૂ.1300 થી 1400 નોંધાયા હતા.
  • ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હોવાની સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગના લોકો અને શેરી-મહોલ્લામાં લારી લઈને શાકભાજીનું વેંચાણ કરતાં નાના ફેરિયાઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
  • મળતી માહિતી પ્રમાણે; હજુ આગામી દિવસમાં શાકભાજીના ભાવમાં વધારો થશે!
  • બીજી બાજુ; જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં બટેટાની સૌથી વધુ આવક જોવા મળી હતી.
  • જેમાં 23 જૂને 581 કિવન્ટલ બટેટાની આવક, ટમેટા 84 કિવન્ટલ, 24 જૂને બટેટાની 117 કિવન્ટલ આવક, ટમેટાની 54 કિવન્ટલ અને આદુની 1 કિવન્ટલ આવક તેમજ 26 જૂને બટેટાની 124 કિવન્ટલ, ટમેટાની 127 કિવન્ટલ અને આદુની 6 કિવન્ટલ આવક નોંધાઇ હતી.
  • જેમાં પ્રતિમણ ટમેટા અને આદુના ભાવ વધારે નોંધાયા હતા.

Also Read : Junagadh News : વન-ડે વર્લ્ડકપનું શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું; 46 દિવસમાં કુલ 48 મેચ રમાશે, ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં ટકરાશે.