Junagadh News : ગિરનાર નેચર સફારી પાર્ક તા.22 થી 28 નવેમ્બર સાત દિવસ માટે બંધ રહેશે.

Junagadh News : ગિરનાર નેચર સફારી પાર્ક તા.22 થી 28 નવેમ્બર સાત દિવસ માટે બંધ રહેશે.
  • જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલ ગિરનાર નેચર સફારી પાર્ક આગામી તા.23 નવેમ્બર કારતક સુદ અગિયારસના દિવસે શરુ થનાર ગિરનાર પરિક્રમાને લીધે તા.22 થી 28 નવેમ્બર સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • મળતી માહિતી પ્રમાણે; જૂનાગઢ પ્રવાસન નગરી હોવાથી રજાના દિવસોમાં ભારે ભીડ જામતી હોય છે, એમાં પણ ગિરનાર સફારી દ્વારા થતાં સિંહ દર્શન એ પ્રવાસીઓની પહેલી પસંદ હોય છે!
  • જૂનાગઢમાં શરુ થયેલ ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન માટે મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળે છે.
  • આગામી સમયમાં તા.23 નવેમ્બરથી શરુ થનાર ગિરનારની લીલી પરિક્રમાને લઈને યાત્રિકો સાથે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી વન વિભાગ દ્વારા આજરોજ તા.22 થી 28 નવેમ્બર સાત દિવસ માટે સફારી પાર્ક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • આ ઉપરાંત આગામી તા.29 નવેમ્બરથી ગિરનાર નેચર સફારી પાર્ક રાબેતા મુજબ કાર્યરત થશે; જેની પ્રવાસીઓને નોંધ લેવા જણાવાયું છે.