Junagadh News : ગિરનારની પરિક્રમામાં સ્વચ્છતા રહે તે માટે ખાસ દેખરેખ રખાશે; પરિક્રમાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિટિંગનું આયોજન થયું.

Junagadh News : ગિરનારની પરિક્રમામાં સ્વચ્છતા રહે તે માટે ખાસ દેખરેખ રખાશે; પરિક્રમાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિટિંગનું આયોજન થયું.
  • આગામી તા.23 નવેમ્બર થી 27 નવેમ્બર સુધી યોજાનારી પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમાની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્રએ પૂર્ણ કરી છે.
  • ત્યારે જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આજે ગિરનારની પરિક્રમાની તૈયારી અંગેની બીજી બેઠક મળી હતી.
  • જેમાં કલેકટર સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સાધુ-સંતો તેમજ અન્નક્ષેત્રોના પ્રતિનિધિઓએ યાત્રાળુ માટે જરૂરી વ્યવસ્થાઓ સુવિધા અંગે સંવાદ કરી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે આખરી આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે; ગિરનારની લીલી પરિક્રમામાં યાત્રાળુઓની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત વિભાગોએ આયોજન કર્યું છે.
  • મહાનગરપાલિકાના મેયરએ જણાવ્યું કે; મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને ગિરનારની પરિક્રમામાં ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં સ્વચ્છતા રહે, પીવાના પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરાયેલા યોજનાની વિગતો આપી હતી.
  • ગિરનારની લીલી પરિક્રમામાં જંગલ સ્વચ્છ રહે, રૂટ ઉપર ક્યાંય કચરો ન થાય તેમજ અન્ય ક્ષેત્રો દ્વારા ગંદકી કરવામાં ન આવે અને તે માટેની વ્યવસ્થામાં તંત્રને સહયોગ આપવામાં આવે તે માટે કલેક્ટરએ અનુરોધ કર્યો હતો અને સ્વચ્છતાની તમામ કામગીરી પર દેખરેખ રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
  • અન્નક્ષેત્રો સહિતની સંસ્થાઓએ પરિક્રમામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જનજાગૃતિ અને સંસ્થાઓ દ્વારા પણ પૂરતા પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
  • ગિરનારની પરિક્રમા યાત્રાળુઓને હાર્ટ એટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરાશે.
  • આ ઉપરાંત કર્મચારી અધિકારીઓને સીપીઆરની ટ્રેનીંગ પણ અપાશે.
  • પોલીસ વિભાગ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે; આ ઉપરાંત એસડીઆરએફની બે ટીમો પણ મંગાવવામાં આવી છે.
  • વન વિભાગ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત અને માર્ગો મરામત અને અન્ય સુવિધાઓની પણ તૈયારી કરવામાં આવી છે.
  • બસ સ્ટેશન થી ભવનાથ સુધી એસટી વિભાગ દ્વારા 50 મીની બસ મૂકવામાં આવશે; આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 150 થી વધુ એકસ્ટ્રા બસ મુકવાનું પણ આયોજન છે.
  • આ બેઠકમાં યાત્રાળુઓ બહુ વહેલી પરિક્રમા શરૂ ન કરી દે અને પરિક્રમાના રુટ પર જ પરિક્રમા કરે તે માટે અપીલ કરવામાં આવી હતી.
Junagadh News Junagadh News Junagadh News Junagadh News Junagadh News