Junagadh News : ખોડલધામ વિદ્યાર્થી સમિતિના ભાઈઓ દ્વારા દાતાર સફાઇ અભીયાન કરવામાં આવ્યું.

Junagadh News
Junagadh News : ખોડલધામ વિદ્યાર્થી સમિતિના ભાઈઓ દ્વારા દાતાર સફાઇ અભીયાન કરવામાં આવ્યું.
  • આજરોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ ચાલતી યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમીતી-જૂનાગઢ દ્વારા દાતાર સફાઇ અભીયાન કરવામાં આવ્યુ હતુ.
  • દિવાળીના શુભ તહેવાર નિમિત્તે જૂનાગઢમાં ઉપલા દાતારની પવિત્ર જગ્યાએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ તથા સંજયભાઈ પાદરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમીતી જૂનાગઢ દ્વારા અનોખું સેવા આયોજન થયું.
  • આજરોજ 50 જેટલા યુવાનો સાથે ઉપલા દાતાર જવાના માર્ગે સફાઈ અભીયાન હાથ ધરાયુ હતુ.
  • વહેલી સવાર થી શરૂ કરાયેલ સફાઈ અભીયાન માં અલગ-અલગ 6 ટીમો દ્વારા વિલિંગ્ડન ડેમથી ઉપલા દાતાર સુધીના સીડી માર્ગેની બંને સાઈડ પર રહેલ પ્લાસ્ટીકનો કચરો એકઠો કરી 60 જેટલા પ્લાસ્ટિકના કચરાના મોટા બેગ ભરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
  • આ તકે જૂનાગઢ જીલ્લા અને શહેરના વિદ્યાર્થી સમીતીના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી દિવાળીના પર્વને સેવાકીય કાર્ય થકી પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

Junagadh News Junagadh News Junagadh News Junagadh News