Junagadh News : જૂનાગઢ શહેરમાં આગામી તા.20 જૂનનાં રોજ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથની 19 મી ભવ્ય શોભાયાત્રા યોજાશે.

Junagadh News : જૂનાગઢ શહેરમાં આગામી તા.20 જૂનનાં રોજ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથની 19 મી ભવ્ય શોભાયાત્રા યોજાશે.
– જૂનાગઢમાં આવેલ જગન્નાથજી મંદિર ખાતે દર વર્ષે અષાઢી બીજનાં દિવસે રથયાત્રા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
– ત્યારે, આ વર્ષે પણ શહેરમાં આગામી તા.20 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 19 મી શોભાયાત્રા નીકળશે.
– જે અંતર્ગત રથયાત્રા પૂર્વે ત્રણ દિવસ સુધી મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
– જેમાં વિષ્ણુયાગ યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા તેમજ તા.20 જૂનના રોજ શાહી સ્નાન, બીજ હાંડી, આરતી અને શોભાયાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે.
– રથયાત્રા દરમ્યાન બહેન સુભદ્રાજીના રથને વિવિધ મહિલા મંડળો અને બહેનો દ્વારા ખેંચવામાં આવશે.
– આ વર્ષે વાવાઝોડાની પરિસ્થિતિને કારણે ભજન સંધ્યા અને રથયાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે.
– આમ, દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ શહેરમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે.