Junagadh News : સફાઈ કામદારોના ધો.10-12 ઉતીર્ણ થયેલ બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપી પ્રોત્સાહિત કરાશે.

Junagadh News : સફાઈ કામદારોના ધો.10-12 ઉતીર્ણ થયેલ બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપી પ્રોત્સાહિત કરાશે.
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલાં સમગ્ર રાજ્યના સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલી છે.
  • આ યોજના હેઠળ વર્ષ 2023માં ધોરણ 10 માં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ.41,000, રૂ.21,000 અને રૂ.11000 આપવામાં આવશે.
  • ઉપરાંત ધોરણ 12માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ.31,000, રૂ.21,000 અને રૂ.11,000 નું રોકડ ઈનામ આપવામાં આવશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી.
  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ માત્ર સફાઈ કર્મચારીના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ વર્ષ 2023 ની માર્કશીટની નકલ રજુ કરવાની રહેશે.
  • આ યોજનાનો લાભ લેવા માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. – અરજદારે આગામી તા.05 ઓગસ્ટ સુધીમાં નીચેની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • વધુ જાણકારીનું સરનામું: જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામકની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં.1/3, સરદાર બાગ પાસે, જૂનાગઢ.
  • રજીસ્ટ્રેશન માટેની લિન્ક: https://esamajkalyan.gujarat.gov.in/

Also Read : Junagadh News : ટમેટાના ભાવ ભડકે બળ્યા જૂનાગઢ શાક માર્કેટમાં 160 રૂપિયે કિલો વેંચાઈ રહ્યાં છે