Junagadh News: જૂનાગઢ રોજગાર કચેરી ખાતે આગામી તા.11 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 કલાકે ભરતી મેળો યોજાશે.

Junagadh News: જૂનાગઢ રોજગાર કચેરી ખાતે આગામી તા.11 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 કલાકે ભરતી મેળો યોજાશે.
  • જૂનાગઢ જિલ્લાનાં ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર જૂનાગઢમાં આગામી તા.11 સપ્ટેમ્બરના રોજ ભરતીમેળાનું આયોજન થશે.
  • ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ઇન્સ્ટાકાર્ટ પ્રા.લી. ખાતે ખાલી પડેલ ટીમ લિડર, શોર્ટીંગ આસીસ્ટન્ટ  તેમજ ડિલિવરી બોયની જગ્યાઓ માટે ભરતી મેળો યોજાશે.
  • 18 કે તેથી વધુ વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ અંગ્રીજી વાંચન કૌશલ્ય ધરાવતા એસ.એસ.સી. કક્ષાની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળાનું આયોજન થયું છે.
  • અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ જૂનાગઢ ખાતે તા.11 સપ્ટેમ્બર, 2023 ના રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવેલ છે.
  • પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે  ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
  • અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે; માટે નીચેની લીંક પરથી જોબસિકર તરીકે રજીસ્ટ્રેશન કરાવો.
  • નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.
  • વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર 0285-2620139 મારફત સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
  • રજીસ્ટ્રેશન લીંક: https://anubandham.gujarat.gov.in/account/signup