Junagadh News : જિલ્લા રોજગાર કચેરીનું બહુમાળી ભવનમાં અને અભિલેખાગાર કચેરીનું ગાંધી ચોક ખાતે સ્થળાંતર કરાયું.

Junagadh News
Junagadh News : જિલ્લા રોજગાર કચેરીનું બહુમાળી ભવનમાં અને અભિલેખાગાર કચેરીનું ગાંધી ચોક ખાતે સ્થળાંતર કરાયું.
  • જૂનાગઢ જિલ્લાના રોજગાર ઇચ્છુક યુવાનોને રોજગારલક્ષી સેવાઓ અસરકારક રીતે સુગમતાથી મળી રહે તેમજ કચેરી કામગીરીના બહોળા વ્યાપને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી જિલ્લાના રોજગાર ઇચ્છુકોના હિતને ધ્યાને લઇ જુની કચેરીનું મકાન અત્યંત જર્જરીત અને જોખમી હોય કચેરીને નવી જગ્યાની ફાળવણી થતા કચેરી સ્થળાંતર કરવામાં આવેલ છે.
  • જિલ્લા રોજગાર કચેરીનું નવુ સરનામુ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વીંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદાર બાગ જૂનાગઢ છે.
  • આ જ રીતે જૂનાગઢ જિલ્લા અભિલેખાગાર કચેરી આયના મહેલ, સર્કલ ચોક મકાનની સ્થિતિ અત્યંત ભયંકર જર્જરીત હોય તેથી આ કચેરીને નવી જગ્યાએ ખસેડવામાં આવેલ છે.
  • જૂનાગઢ જિલ્લા અભિલેખાગાર કચેરી હવેથી જૂનાગઢ જિલ્લા અભિલેખાગાર કચેરી, ગાંધી ચોક, વંથલી દરવાજા ખાતે સ્થળાંતર કરવામાં આવેલ છે.
  • હવે પછીથી આ કચેરી સાથે આ નવા સરનામા મુજબ પત્ર વ્યવહાર કરવા જણાવવામાં આવ્યું છે.