Junagadh News : આગામી તા.12 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી વેરાવળ-સુરત સાપ્તાહિક ટ્રેન શરૂ થશે.

Junagadh News : આગામી તા.12 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી વેરાવળ-સુરત સાપ્તાહિક ટ્રેન શરૂ થશે.
  • રેલવે તંત્ર દ્વારા પશ્ચિમ રેલવેએ યાત્રિકોની સુવિધા માટે વેરાવળથી સુરત વચ્ચે વધુ એક સાપ્તાહિક ટ્રેન વિશેષ ભાડા પર શરૂ કરવા નિર્ણય કર્યો છે.
  • આ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11:05 વાગ્યે ઉપડી બપોરે 12:36 વાગ્યે જૂનાગઢ અને રાત્રે 11:45 વાગ્યે સુરત પહોંચશે.
  • જ્યારે સુરતથી આ ટ્રેન સોમવાર સાંજે 7:30 વાગ્યે ઉપડી બીજા દિવસે વેરાવળ પહોંચશે.
  • વેરાવળથી ઉપડનારી આ ટ્રેન આગામી તા.12 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે, જ્યારે સુરત થી વેરાવક વચ્ચેની આ ખાસ ટ્રેન 29 જાન્યુઆરી સુધી દોડશે.
  • આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર બંને દિશામાં ઊભી રહેશે.