Junagadh News : વેરાવળ-સુરત વચ્ચે સ્પે.સાપ્તાહિક ટ્રેન દોડશે; દર મંગળવારે બપોરે 12:38 વાગ્યે જૂનાગઢથી સુરત જવા માટે ઉપડશે.

Junagadh News : વેરાવળ-સુરત વચ્ચે સ્પે.સાપ્તાહિક ટ્રેન દોડશે; દર મંગળવારે બપોરે 12:38 વાગ્યે જૂનાગઢથી સુરત જવા માટે ઉપડશે.
  • મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ અને સુરત વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.
  • મળતી માહિતી મુજબ; આ ટ્રેન વેરાવળથી દર મંગળવારે સવારે 11:05 કલાકે ઉપડીને જૂનાગઢ બપોરે 12:36 વાગ્યે પહોંચશે અને તે જ દિવસે રાત્રે 11:45 વાગ્યે સુરત પહોંચશે.
  • ખાસ કરીને દિવાળી વેકેશનમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા આ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
  • આ ટ્રેન વેરાવળથી આગામી તા.7, 14, 21 અને 28 નવેમ્બર, 2023 ના રોજ દોડશે.
  • એ જ રીતે દર સોમવારે સુરત થી સાંજે 7:30 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે સવારે 06:18 વાગ્યે જૂનાગઢ અને સવારે 08:05 કલાકે વેરાવળ પહોંચશે; જે ટ્રેન સુરતથી તા.6, 13, 20 અને 27 નવેમ્બર, 2023 ના રોજ દોડશે.
  • આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
  • આ ટ્રેન માટેનું બુકિંગ ગત તા.5 નવેમ્બથી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને આઇ.આર.સી.ટી.સી. વેબસાઇટ પર ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
  • આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો નીચેની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.