કોરોના : સુરતમાં એકસાથે 54,000 લોકોને હોમકવોરંટાઇન કરવામાં આવ્યા

કોરોના

ગુજરાતના સુરતમાં એકસાથે 54,000 લોકોને કવોરંટાઇન કરવામાં આવ્યા. થોડાક સમય પહેલા એક ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા અનેક લોકોને કવોરંટાઇન કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં અત્યારે કોરોના વાઇરસના પોઝિટિવ કેસનો આંક ત્રણ આંકડામાં થઈ ચૂક્યો છે. હાલ રાજ્યમાં 122 પોઝીટીવ કેસ નોંધાયેલા છે.

કોરોના

સર્વ પ્રથમ તો આજરોજ તા.5મી એપ્રિલના રોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા નિચે મુજબ છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.
તારીખ: 5મી એપ્રિલ 2020
સમય: સવારે 10:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 3370
કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 229
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 77

કોરોના

ભારત બાદ એક નજર ગુજરાતમાં જોવા મળેલ કેસ પર નાખીએ. ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા છે. જેમાંના કેટલાક દર્દીઓ રિકવર પણ થઈ ચૂક્યા છે. ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે જોઈએ આજરોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં આવેલા ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડા વિશે જાણીએ.
તારીખ: 5મી એપ્રિલ 2020
સમય: સવારે 10:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 122
કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 17
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 11

કોરોના

ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ તો, જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ હજી જોવા નથી મળ્યો. જેનો સમગ્ર શ્રેય જૂનાગઢ જિલ્લા તંત્ર અને પ્રસાસનને ફાળે જાય છે. આપણે પણ તંત્ર અને પ્રસાસનને સહકાર આપીને જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તેના માટે સહયોગી બનીએ.

Also Read : What is an Earth Hour?