અમદાવાદ બાદ વડોદરામાં વધ્યો કોરોના નો કહેર…આજરોજ સવારે 11:30 વાગ્યા સુધીની સ્થિતિ

કોરોના

એક જ રાતમાં ફરી કોરોના ના નવા 22 કેસ સામે આવ્યા છે. છેલ્લા થોડાક કલાકોમાં નોંધાયેલા કેસની સાપેક્ષમાં આજના કેસ કંઈક અંશે રાહતપૂર્ણ ગણી શકાય. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • તારીખ: 13મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 9,152 (જેમાં 7,987 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 856
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 308

Coronavirus: WHO declares COVID-19 a pandemic, India fights back ...ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો હવે 500ની પાર થઈ ગયો છે. અતીવેગથી વધી રહેલા કોરોનાના આંકડાઓ ચિંતાજનક છે. તેમાં પણ હવે અમદાવાદ બાદ વડોદરામાં પણ કોરોના કેસના આંકડાઓ 100ને વટી ચુક્યા છે. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવામાં કાર્યશીલ છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

Coronavirus: Gujarat govt declares lockdown rules for shops, firms ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

  • તારીખ: 13મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 538 (જેમાં 465 કેસ એક્ટિવ છે.)
  • વિદેશ પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા: 33
  • આંતર રાજ્ય પ્રવાસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 32
  • લોકલ ટ્રેનજીશનથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ: 473
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 47
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 26

ગુજરાતમાં ફરી એક જ રાતમાં નવા 22 કેસનો ઉમેરો થયો છે. જે એકંદરે ઓછા ગણી શકાય છે. રાજ્ય સરકારના કડક પગલાંઓના કારણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને સામે રિકવરીની ટકાવારી વધી રહી છે. આમ, તંત્ર દ્વારા કોરોના સામે સખત લડાઈ લડવામાં આવી રહી છે.

coronavirus deaths in india: India reports seventh death due to ...ભારત અને ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ. જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જૂનાગઢમાં મેડિકલ સ્ટાફની એક ટિમ બનાવીને ટેસ્ટિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

Also Read : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા૧૨મી માર્ચથી શરૂ થઈ રહી છે