Water conservation scheme has been started by Junagadh Municipal Corporation.

Water conservation

Water conservation : સુજલામ સુફલામ યોજના અંતર્ગત તા. 02/05/2018 ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જુનું ઝાંઝરડા તળાવ, ઝાંઝરડા ગામ ખાતેથી માન. મેયરશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર, માન. કમિશનરશ્રી પ્રકાશ સોલંકી, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ મશરૂ વગેરે તથા કોર્પોરેશનના અધિકારીઓ/કર્મચારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં જળસંચય યોજનાનો પ્રારંભ કરવામાં આવેલ છે.


આ અવસરે માન. મેયરશ્રી આદ્યાશક્તિબેન મજમુદારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવતા 15 સ્થળે 8 – તળાવ, 4 – જળાશય તથા 3 – ચેકડેમ ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. ઉપરાંત પાણીનો સુઆયોજિત ઉપયોગ કરી સરકાર અને સમાજના લોકોના સહિયારા પ્રયાસથી આ યોજના પૂર્ણ થાય તે માટે શહેરીજનોને અપીલ કરી હતી.

Also Read : દેવાયત બોદર (ભાગ 4: રા’નવઘણે સોલંકીઓ સામે વેર વાળ્યું)