Junagadh News : રિક્ષાચાલકની પ્રામાણિકતા; રૂ.5.50 લાખ રોકડા ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી!

Junagadh News : રિક્ષાચાલકની પ્રામાણિકતા; રૂ.5.50 લાખ રોકડા ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી!
  • જૂનાગઢમાં રિક્ષાચાલકની પ્રામાણિકતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
  • જે અન્વયે જૂનાગઢના ધર્મેશ લખમણભાઇ રાવત નામના રિક્ષાચાલકને રેલવે સ્ટેશન ટ્રાફિક ચોક વિસ્તારમાંથી એક બેગ મળી હતી, જે બેગમાં રૂ.5.50 લાખ રોકડા હતા.
  • જે બેગ રિક્ષાચાલકે રેલવે પોલીસને આપી હતી અને રેલવે પોલીસે બેગ ખોલીને જોતા તેમાં 5,50,000 લાખની રોકડ રકમ જોવા મળી હતી.
  • બાદમાં રેલવે પીએસઆઇએ જાણ કરતા તેમણે એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ વગેરે સ્ટાફને મોકલી તપાસ કરાવી હતી.
  • દરમિયાન ભવનાથ યાત્રા સમિતીના ચેરમેન, ભવનાથના કોર્પોરેટરની મદદથી બેગના મૂળ માલિકને શોધી કાઢવામાં સફળતા મળી હતી.
  • આ બેગના મૂળમાલિક સુરતના જીવરાજ ડાખરા છે; જેઓ સુરતથી બાન્દ્રા-વેરાવળ ટ્રેનમાં જૂનાગઢ આવ્યા હતા અને બાદમાં રિક્ષામાં બેઠા હતા ત્યારે બેગ રિક્ષામાંથી પડી ગઇ હતી.
  • તેઓના જણાવ્યા પ્રમાણે બેગમાં રહેલા રૂ.5,50,000 ભવનાથમાં આવેલ ખાખચોક આશ્રમના છે.
  • બાદમાં આશ્રમના મહંતને રૂપિયા સાથેની બેગ સોંપવામાં આવી હતી.
  • જ્યારે રિક્ષા ચાલકને તેની પ્રામાણીકતા બદલ ખાખચોકના મહંતે રૂ.5,100 રોકડા આપી સન્માનિત કર્યા હતા.