Junagadh News : જૂનાગઢ જિલ્લામાં 113 ગામોમાં આયુષ્માન ભારત કાર્ડનું 100% સેચ્યુરેશન; 6.09 લાખ જેટલા લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ આપી દેવાયા.

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં 113 ગામોમાં આયુષ્માન ભારત કાર્ડનું 100% સેચ્યુરેશન; 6.09 લાખ જેટલા લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ આપી દેવાયા.
  • જૂનાગઢ જિલ્લામાં આજે 113 ગામોના પાત્રતા ધરાવતા તમામ લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપી દેવામાં આવ્યું છે.
  • એટલે કે, આ ગામોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું 100% સેચ્યુરેશન થઈ ચૂક્યું છે.
  • વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા સામે ચાલીને આયુષ્માન કાર્ડ આપવામાં આવી રહ્યા છે.
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન ભારત કાર્ડ હેઠળ નોંધાયેલી ખાનગી હોસ્પિટલમાં લોકોને દસ લાખ સુધીની કેશલેસ સારવાર મળે છે.
  • જે રૂ.05 લાખ હતી તે, વધારીને રૂ.10 લાખ કરવામાં આવી છે.
  • હાલ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે; આ યાત્રા માધ્યમથી ખાસ કરીને પાત્રતા ધરાવનાર તમામ લાભાર્થીઓને કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ આવરી લેવાની નેમ સાથે નીકળી છે.
  • લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ એવી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે, જેના અંતર્ગત આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવે છે.
  • જૂનાગઢ જીલ્લો આયુષ્માન ભારત કાર્ડ આપવામાં રાજ્યભરમાં અગ્રેસર છે, અત્યાર સુધીમાં જિલ્લામાં 6.70 લાખ જેટલા લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ આપી દેવામાં આવ્યા છે.