Junagadh News : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.માં હવે ઘરબેઠા ડિપ્લોમા અભ્યાસ થઈ શકે; ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ ઓગસ્ટ રહેશે.

Junagadh News
Junagadh News : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.માં હવે ઘરબેઠા ડિપ્લોમા અભ્યાસ થઈ શકે; ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ ઓગસ્ટ રહેશે.
  • વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા દૂરવર્તી શિક્ષણમાં ડિપ્લોમા અભ્યાસક્રમ માટે વર્ષ 2023-24 માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
  • જેમાં ધો.12 પાસ કોઇપણ ઉંમરના વ્યક્તિ ઘરેબેઠાં કર્મકાંડ, મંદિર વ્યવસ્થાપન, વાસ્તુ, જ્યોતિષ, વૈદિક ગણિત, યોગ અને સંસ્કૃત વિષયનો અભ્યાસ કરી શકશે.
  • યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ફોર્મ ભરાવાનું શરૂ થઇ ગયું છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 ઓગસ્ટ છે.
  • ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે આપેલ વેબસાઇટ પર જઈને પોતાનું ફોર્મ ભરવાનું રહેશે.
  • શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના આ દૂરવર્તી શિક્ષણનાં ડિપ્લોમા અભ્યાસની સાથે કોઇપણ યુનિ.ના કોઇપણ વિષયમાં સ્નાતક/અનુસ્નાતકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ ડિપ્લોમા અભ્યાસ કરી શકશે.
  • વધુ વિગતો માટે સંપર્ક: 9913940797
  • વેબસાઇટ: www.de.sssu.ac.in