એક જ રાતમાં કોરોના 16 નવા પોઝીટીવ કેસ સાથે ગુજરાતમાં કુલ 144 કેસ નોંધાયા..

કોરોના

કોરોના : ગુજરાત અને ભારતમાં અમુક લોકો લોકડાઉનનો ભંગ કરીને રસ્તા પર આવી જાય છે તેમજ સોસીયલ ડિસ્ટનસિંગનો પણ અમલ નથી કરતા. જેના કારણે ગુજરાતમાં એક રાતમાં અમદાવાદમાં 11 સહિત કુલ 16 નવા કેસ સામે આવ્યા હતા. ત્યારે અહીં આપણે ભારત અને ગુજરાતમાં નોંધાયેલા કોરોના સંબંધિત આંકડાઓ વિશેની માહિતી પર એક નજર નાખીએ.

સર્વ પ્રથમ તો આજરોજ તા.6ઠ્ઠી એપ્રિલના રોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા નિચે મુજબ છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.
તારીખ: 6ઠ્ઠી એપ્રિલ 2020
સમય: સવારે 10:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 4,281
કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 327
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 117

કોરોના

ભારત બાદ એક નજર ગુજરાતમાં જોવા મળેલ કેસ પર નાખીએ. ગુજરાતમાં એક રાતમાં જ વિવિધ જિલ્લાઓમાં કોરોના અસરગ્રસ્ત 16 નવા દર્દીઓ સામે આવ્યા છે જેમાં 11 નવા કેસ માત્ર અમદાવાદમાંથી જ જોવા મળ્યા. ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે જોઈએ આજરોજ સાંજે 7:30 વાગ્યા સુધીમાં આવેલા ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડા વિશે જાણીએ.

  • તારીખ: 6ઠ્ઠી એપ્રિલ 2020
  • સમય: સવારે 10:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 144 (16 નવા કેસ નોંધાયા)
  • અમદાવાદ-11
  • કચ્છ-1
  • મહેસાણા-1
  • પંચમહાલ-1
  • પાટણ-2
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 21
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 11

ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ તો, જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ જોવા નથી મળ્યો અને આજ સુધીમાં કુલ 303 દર્દીઓના કવોરંટાઇન પૂર્ણ થઈ ચૂક્યા છે. જેથી હવે જૂનાગઢ જિલ્લામાં એક પણ શંકાસ્પદ નથી. જેનો સમગ્ર શ્રેય જૂનાગઢ જિલ્લા તંત્ર અને પ્રસાસનને ફાળે જાય છે. આપણે પણ તંત્ર અને પ્રસાસનને સહકાર આપીને જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તેના માટે સહયોગી બનીએ.

Also Read : જૂનાગઢમાં સિંધી સમુદાય દ્વારા ચેટીચાંદ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી