કોરોના : ભારતમાં છેલ્લા 24 કલાક બાદ અધધ 40 હજાર પોઝીટીવ કેસ! સાથે જ ગુજરાત અને જૂનાગઢના આંકડા જાણીએ.

કોરોના : ભારતમાં જેટ સ્પીડથી કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે. જે સમગ્ર દેશ માટે ચિંતાજનક બાબત છે, તો સાથે જ ગુજરાતમાં પણ હવે દરરોજ 900થી વધુ પોઝીટીવ કેસ નોંધાઇ રહ્યા છે. આ સાથે અહીં જૂનાગઢ અને ગુજરાત સહિત સમગ્ર દેશના કોરોના સંબંધિત અન્ય આંકડાઓ પર એક નજર કરીએ.

સૌથી પહેલા અહીં ભારતના કોરોનાના આંકડાઓ પર નજર કરીએ, તો જાણી શકાય કે, છેલ્લા 24 કલાક બાદ દેશમાં કોરોનાના પોઝીટીવ કેસમાં નવા 40 હજાર કેસનો ધરખમ વધારો નોંધાયો છે. આ સાથેના ભારતના કોરોનાના અન્ય આંકડાઓ નીચે મુજબ છે.

ભારતના કોરોનાના આંકડા:

  • તારીખ: 20મી જુલાઈ, 2020(સોમવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 11,18,043 (વધુ 40,425 નવા કેસ ઉમેરાયા)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 7,00,087 (વધુ 22,664 લોકો રિકવર થઈ ગયા)
  • કુલ મૃત્યુઆંક: 27,497 (વધુ 681 લોકોનું દુઃખદ અવસાન થયું)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 3,90,459

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 19મી જુલાઈ 2020(રવિવાર)
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 48,355 (નવા 965 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 34,901 (વધુ 866 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,142 (વધુ 20 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 11,312

કોરોના

ભારત અને ગુજરાત બાદ હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડાઓ પર નજર કરીએ. છેલ્લા 24 કલાક બાદ જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. છેલ્લા થોડાક દિવસથી સતત વધતા જતા કેસમાં નોંધાયેલ ઘટાડો થોડાઘણા અંશે રાહતપૂર્ણ નીવડ્યો છે. નવા આવેલા કેસની વિસ્તાર સહિતની તમામ માહિતી દર્શાવેલ Image મુજબ છે.

આ સાથે જ કાલના દિવસે વધુ 25 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને કોઈપણ દર્દીનું અવસાન થયેલ નથી. જે રાહતના સમાચાર છે. હાલ નવા નોંધાયેલા કેસ સાથે જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

તારીખ: 19મી જુલાઈ, 2020 (રવિવાર)
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 546
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 151
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 382
●મૃત્યુઆંક: 13

આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 51 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લઇ રહેલા લોકોની કુલ સંખ્યા 597 ગણવામાં આવે છે.

Also Read : Willingdon Dam Junagadh