ગુજરાતમાં દિવસે ને દિવસે રિકવરી રેટમાં સતત વધારો દેખાઈ રહ્યો છે. સાથે જ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતમાં પણ આજે કોરોના સંક્રમિત હોય તેવા 2000 જેટલા લોકો ફરી એક જ દિવસમાં રિકવર થયા છે. અહીં ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની શુ સ્થિતિ છે તેની માહિતી આપવામાં આવી છે. જેના પર એક નજર કરીએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 13મી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 74,281 (નવા 3,525 કેસ ઉમેરાયા)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 47,480 (નવા 1,472 એક્ટિવ કેસ થયા)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 24,386 (વધુ 1,931 દર્દીઓ રિકવર થયા.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,415 (વધુ 122 દર્દીઓનું મૃત્યુ થયું.)
ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. આજરોજ તા.13મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 360થી વધુ નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 9 હજારને પાર થઈ ચૂક્યો છે. જો કે આ બધાની વચ્ચે સારી વાત એ છે કે, આજે ફરી 316 જેટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પાછા ફર્યા હતા. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે? તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 13મી મે, 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 9,268 (નવા 364 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,417 (39 વેન્ટિલેટર પર છે.)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 3,246 (વધુ 316 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 566 (વધુ 29 લોકોના મૃત્યુ થયા.)
હવે વાત કરીએ આપણાં જૂનાગઢ જિલ્લાની કે, જ્યાં અત્યાર સુધીમાં કુલ 4 પોઝીટીવ કેસ નોંધાયા છે અને તેમાંથી 2 દર્દીઓને રિકવરી મળતા ઘરે પરત પણ મોકલી દેવામાં આવ્યા છે. હાલ જૂનાગઢમાં રિકવરી રેટ 50% છે અને માત્ર 2 જ એક્ટિવ કેસ છે. આ બંને દર્દીઓની સ્થિતિ કાબુમાં છે.
જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તા.13મી મે, 2020
- સમય: 8:30 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 4
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 2
- મૃત્યુઆંક: 0
Also Read : Kai Po Chhe! – Brief information about Uttarayan