શું તમે શીખ ધર્મ ના આ દસ પ્રસિદ્ધ ગુરુદ્વારાની શાબ્દિક યાત્રાએ જવા માંગો છો?

શીખ ધર્મ ના સ્થાપક ગુરૂનાનકજીનો જન્મ કારતક માસની પૂર્ણિમાના દિવસે થયો હતો. ગુરૂનાનકજીનો જન્મ રાવી નદીના કિનારે સ્થિત તલવંડી નામનાં ગામમાં થયો હતો. એક વિદ્વાનના મતાનુસાર ગુરૂનાનકજીનો જન્મ 15-એપ્રિલ-1469 ના દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. પરંતુ તિથી અનુસાર કારતક માસની પૂનમના દિવસે રૂનાનકજીની જ્ન્મતિથી મનાવવામાં આવે છે.આવો આ અવસરે આપણે ભારતમાં આવેલા 10 પ્રસિદ્ધ ગુરુદ્વારાની શાબ્દિક યાત્રા કરી તેના વિશે જાણીએ.

  1. સુવર્ણ મંદિર –પંજાબ

પંજાબના અમૃતસરમાં આવેલું આ સુવર્ણ મંદિર જગવિખ્યાત છે. આ ગુરુદ્વારાની દીવાલો સોનાની બનેલી છે. આ ગુરુદ્વારાનેહરીમંદિર સાહિબ સિંહ ગુરુદ્વારા તેમજ દરબાર સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે.જ્યાં શીખ લોકોની સાથે સાથે હિંદુઓપણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક માથું ટેકવે છે.

  1. મણિકરણ સાહિબ ગુરુદ્વારા -હિમાચલ પ્રદેશ

 એક માન્યતા પ્રમાણે શીખ ધર્મના પહેલાં ધર્મગુરુ નાનક દેવ આ જગ્યાએ ધ્યાનમાં બેઠા હતા. પહાડોની વચ્ચે આવેલું આ એક સુંદરગુરુદ્વારા છે.

  1. શ્રી પટના સાહિબ ગુરુદ્વારા –બિહાપટના સાહિબ ગુરુદ્વારા શીખ ધર્મના દસમાં ધર્મ ગુરુ
    ગોવિંદ સિંહનું જન્મ સ્થળ છે. આ ગુરુદ્વારાનું નિર્માણ મહારાજા રણજિતસિંહએકરાવ્યું હતું. આ ગુરુદ્વારા સ્થાપત્ય કલાનો અદભુત નમૂનો છે.
  1. તખ્ત શ્રી દમદમા સાહિબ ગુરુદ્વારા –પંજાબ

આ ગુરુદ્વારા પંજાબના ભટિંડા નજીક આવેલું છે. ગુરુ ગોવિંદ સિંહજી અહીં આવીને રોકાયા હતા અને મુઘલોનો સામનો કર્યો હતો.

  1. પાંવટા સાહિબ ગુરુદ્વારા-હિમાચલ પ્રદેશ

    આ જગ્યાએ ગુરુ ગોવિંદ સિંહજીએ પોતાના જીવનકાળના ચાર વર્ષ વિતાવ્યા હતા અને દશમ ગ્રંથની રચના કરી હતી.

  1. શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારા –ઉત્તરાખંડ

આ ગુરુદ્વારા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. સુંદર મજાના પહાડોની વચ્ચે આવેલા આ ગુરુદ્વારાનું નિર્માણગુરુ ગોવિંદ સિંહજી દ્વારા કરવામાં આવ્યુ હતું.

  1. હજૂર સાહિબ ગુરુદ્વારા –મહારાષ્ટ્ર

આ ગુરુદ્વારા મહારાષ્ટ્રના નાંદેડ નગરમાં ગોદાવરી નદીના કિનારે આવેલું છે. આ જગ્યા પર ઈ.સ.1708માં ગુરુ ગોવિંદ સિંહજીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહારાજા રણજિત સિંહે અહીં ગુરુદ્વારાનું નિર્માણ કરાવ્યું હતુ.

  1. શીશ ગંજ ગુરુદ્વારા સાહિબ –દિલ્હી

આ ગુરુદ્વારા દિલ્હીમાં આવેલું છે. શીખ ધર્મના નવમા ધર્મગુરુ તેગ બહાદુરની શહીદીની યાદમાં આ ગુરુદ્વારા બનાવવામાં આવ્યુ હતું.આ જ સ્થળે ઔરંગઝેબએ નવમા શીખગુરુ તેગ બહાદુરની હત્યા કરી નાખી હતી કારણ કે તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ના પાડીહતી.

  1. ફતેહગઢ સાહિબ ગુરુદ્વારા –પંજાબ

આ ગુરુદ્વારાને ફતેહસિંહ અને જોરાવરસિંહની શહીદીની યાદમાં બનાવવામાં આવ્યો હતો. આ ગુરુદ્વારા વાસ્તુશાસ્ત્રનો અદભુત નમૂનોછે.

  1. બંગલા સાહિબ ગુરુદ્વારા –દિલ્હી 

    આ ગુરુદ્વારાનું નિર્માણ રાજા જયસિંહએ કરાવ્યું હતું. આ ગુરુદ્વારા શીખધર્મના આઠમા ધર્મગુરુ હરકિશન સિંહજી દ્વારા કરવામાંઆવેલા ચમત્કારો માટે પ્રસિદ્ધ છે. આ ગુરુદ્વારાને શીખ તેમજ હિંદુ ધર્મનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

  • તો આ હતા શીખ ધર્મના 10 પ્રખ્યાત ગુરુદ્વારાઓ…
  • આપ સૌને ગુરુનાનક જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ…

Also Read : બિપાશાએ મિસ્ટર બજાજના લૂક પર પતિને કહ્યું કઈક આવું કે કરણ આપ્યો આવો જવાબ.. જુઓ તસવીરો