રોજિંદા જીવન માં આસાનીથી થઈ શકે તેવા યોગાસન અને તેના અધધ ફાયદાઓ…

યોગાસન : આજના આ ભાગ-દોડીવાળા યુગમાં લોકો એટલા બીઝી થઈ ગયા છે કે, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ તેઓ બેદરકાર થઈ ગયા છે. લિફ્ટની સગવડ આવતા જ સીડીનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. આપણને થોડા પગથિયાં ચઢતા જ શ્વાસ ચડવા લાગે છે. બાળકો અને યુવાનોએ ફાસ્ટફૂડ ખાયને તેમના શરીર બેડોળ બનાવી દીધા છે. આ સમયે આપણે આપણાં સ્વસ્થ્ય પ્રત્યે સજાગ બનીએ અને યોગને જીવનનો ભાગ બનાવીએ એ હેતુથી દરવર્ષે 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

યોગાસન

યોગાસનોના મહત્વને ધ્યાનમાં રાખીને આજે તમને અમુક સરળ અને ખૂબજ ઉપયોગી યોગાસનોના નામ અને તેનાથી થતાં ફાયદા વિશે જણાવીશું. જેનાથી શરીરની ચરબી તો ઓછી થશે જ સાથેસાથે ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ મળશે.

સૂર્ય નમસ્કાર:

સૂર્ય નમસ્કારમાં 12 સ્ટેપ્સ હોય છે. સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ખૂબજ ઉપયોગી છે. દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી ચરબી તો ઓછી થાય જ છે સાથે સાથે ફેફસા, પાંસળીઓ અને ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે.

ત્રિકોણાસન :

ત્રિકોણાસન ઝડપથી કેલેરી ઘટાડી વજન ઓછું કરવા માટે ખૂબજ ઉપયોગી છે. નિયમિત ત્રિકોણાસન કરવાથી કમરની ચરબી ઘટે છે. શરીરના પાછળના ભાગની ચરબી ઓછી થાય છે. આ આસન કરવામાં વધારે ઝડપ ન કરવી જોઇએ.

ભુજંગાસન:

ભુજંગાસન કરતી વખતે કમર અને પેટના સ્નાયુઓ ખેંચાય છે. જેનાથી પેટની ચરબી ઓછી થાય છે. નિયમિત 10 વખત આ આસન કરવાથી પેટ અને નિતંબની ચરબી ઝડપથી ઘટાડી શકાય છે.

ધનુરાસન:

ધનુરાસન કરતી વખતે શરીર ધનુષ્યના આકારમાં વાળવાનું હોય છે. આ આસન કરવાથી પેટ, જાંધ અને નિતંબની ચરબી ઓછી કરી શકાય છે. આ આસન નિયમિત કરવાથી પેટ અને કમરમાં લચકતા આવે છે.

પદ્માસન:

યોગાસન

આ આસન પગની દરેક સમસ્યાઓને દૂર કરે છે. કમર, પગના સાંધાના જોડાણ, નસોમાં લોહીનું પરિભ્રમણ વધારે છે. સાંધાને મજબૂત, દ્રઢ અને સ્ફુર્તિદાયક બનાવે છે. શ્વસન ક્રિયાને વધુ તેજ બનાવે છે. મનને શાંત રાખે છે તેમજ એકાગ્ર રાખે છે.

પર્વતાસન:

પર્વતાસનના અભ્યાસથી પીઠનો દુ:ખાવો ઓછો થાય છે. શરીરના અન્ય હાડકાના દુ:ખાવામાં પણ ફાયદાકારક છે. આ આસન જ્ઞાનતંતુઓમાં સ્ફૂર્તિ પેદા કરે છે. ફેફસાની ક્ષમતા વધે છે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : સંતશ્રી જલારામ અને વિરપુર ધામ: એકપણ પૈસો લીધા વગર ચાલતું અવિરત સદાવ્રત