તતિક્ષા રાવલિયા

    ચોમાસાની હોય ઋતુ,
    વરસતો હોય મેહુલિયો,
    ‘ને હાથમાં હોય ચા,
    બસ, એથી વિશેષ હોય
    નહીં કોઈ ક્ષણ નિરાળી..
    ————–X——————

    ધબકતા હૃદય સમાન ખળખળ વહેતાં ઝરણાં પાસે કળા કરેલ મોર જેવો ગિરનાર
    વર્ષાઋતુમાં ઓઢી લે લીલી ચાદર એટલે ઉતરી આવે ભવનાથમાં સ્વર્ગ!